__Health
અચાનક તાવ આવવાનું કારણ શરીરમાં ઘૂસી આવેલાં જંતુઓ સામેની લડાઇ હોય છે. તાવ શરીરને ઉપયોગી પ્રક્રિયા છે. તાવનું ચોકકસ કારણ જાણ્યા વગર માત્ર તાવને ઉતારી નાખવાથી કોઇ ખાસ ફાયદો થતો નથી એ યાદ રાખવું.
તાવનાં કારણો :
(૧) ઠંડી-ધ્રુજારી સાથે આવતા તાવ : મેલેરિયા, પેશાબનો ચેપ , ન્યુમોનિયા , ગૂમડાં કે પાક, મગજનો તાવ, કાકડા પાકવા, પ્રસૂતિ પછીનો ચેપ, મરડા સાથે તાવ
(૨) ઠંડી-ધ્રુજારી વગર આવતા તાવ: ટાઇફોઇડ, ટી.બી., કમળો, શરદી . (નોંધ: આ ઉપરાંત ધ્રુજારી સાથે આવતા બધા તાવ કયારેક ટાઢ-ઠંડી-ધ્રુજારી વગર પણ આવી શકે છે.)
તાવ વધી જાય ત્યારે શું કરવું ?
તાવ એ શરીર માટે રોગો સામે લડવા માટેનું ઉપયોગી શસ્ત્ર છે એટલે તાવનું કારણ જાણ્યા વગર તાવ ઉતારવાની કોશિશ સામાન્ય રીતે ન કરવી જોઇએ. પરંતુ જો તાવ ખૂબ વધી ગયો હોય તો કયારેક (નાનાં બાળકોમાં ખાસ) મગજ પર એની વિપરિત અસર થઇ શકે છે. એટલે તાવ ખૂબ ચડી ગયો હોય ત્યારે તાવ ઉતારવાનાં નીચે જણાવેલ પગલાં લેવાં જોઇએ :
(૧) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં.
(૨) પાણી વધુ પીવડાવવું.
(૩) દર્દીને ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, ઉનાળા દરમ્યાન પંખો નાંખવાનું ચાલુ કરી દેવું.
(૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ.
(૫) શરીરનું તાપમાન ૧૦૬ં ફેરનહીંટ (૪૧ંસે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા.
(૬) પેરાસિટામોલ નામની ગોળી યોગ્ય ડોઝમાં (પુખ્ત વયની વ્યક્તિ માટે ૫૦૦ મિ.ગ્રા; બાળક માટે દર કિલોગ્રામ વજનદીઠ ૧૦ મિ.ગ્રા.) લેવાથી તાવ અડધાથી એક કલાકમાં ઉતરવા લાગે છે. આ દવાની અસર ચાર થી છ કલાક સુધી જ રહે છે. તાવમાં તત્કાલ રાહત આપવા સિવાય તાવ મટાડવા માટે આ દવા ઉપયોગી નથી. તાવ મટાડવા એનું કારણ શોધી એ કારણ મુજબ દવા કરવી પડે છે.
મેલેરિયા
સામાન્ય રીતે અચાનક ઠંડી લાગવાની અને ધ્રુજારીની શરૂઆત થઇ જાય છે. ધ્રુજારીને કારણે ગરમી પેદા થાય અને સખત તાવ ચડી જાય. આ પછી ત્રણથી આઠ કલાકમાં તાવ સખત પરસેવો થઇને ઉતરી જાય.
ઘણા દર્દીમાં આ તાવ આંતરે દિવસે આવે. પરંતુ બીજા ઘણા લોકોમાં રોજેરોજ પણ આવે છે. કયારેક ઠંડી લાગ્યા વગર જ તાવ શરૂ થઇ જાય એવું બને.
તાવની સાથે સાથે માથું દુ:ખવું, શરીર તૂટવું, ઊલટીઓ થવી, નબળાઇ લાગવી વગેરે અનેક લક્ષણો હોઇ શકે.
જો ઝેરી મેલેરિયા હોય તો તાવ ઉપરાંત તાણ (આંચકી) આવવી, લવારા કરવા, બેભાન થઇ જવું વગેરે લક્ષણવાળા દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા જરૂરી હોય છે. સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ ઝેરી મેલેરિયાને કારણે થઇ શકે.
મેલેરિયાની સારવાર:
ડોકટર અથવા આરોગ્ય કાર્યકર દ્વારા મળેલ કલોરોકવીન (૧૫૦ મિ.ગ્રા. બેઝ) ગોળીનો ત્રણ દિવસનો પૂરો કોર્સ કરવાથી મેલેરિયા મટી જાય છે. ઝેરી મેલેરિયામાં બીજી દવાના ઇન્જેકશનો હોસ્પિટલમાં આપવાં પડે. આ સિવાય સાદા મેલેરિયામાં ઇન્જેકશન આપવાની કોઇ જરૂર હોતી નથી.
મેલેરિયાથી બચવા શું કરવું:
મેલેરિયાનાં જંતુઓ (પ્લાઝમોડીયમ) એનોફીલીસ પ્રકારના મચ્છરથી ફેલાય છે. આ મચ્છરનાં ઇંડાનો વિકાસ પ્રમાણમાં ચોખ્ખા પાણીમાં થાય છે. ઘરમાં કે ઘરની આસપાસ પાંચ દિવસથી વધુ સમય સુધી પાણીનો ભરાવો ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
મચ્છર કરડી ગયા પછી પણ મેલેરિયા ન થાય એ માટે:
સગર્ભાબહેનોને અને વારંવાર મેલેરિયાથી પીડાતા પુખ્તવયનાં દર્દીઓએ અઠવાડીયે બે ગોળી કલોરોકવીન (૧૫૦ મિ.ગ્રા. બેઝ) લેવી જોઇએ.
એકવાર મેલેરિયા થઇ ગયા પછી વારંવાર ઉથલો ન મારે એ માટે
આરોગ્ય કાર્યકર દ્વારા પ્રાઇમાકવીન (૭.૫ મિ.ગ્રા. બેઝ) ગોળી આપવામાં આવે છે, જે પુખ્ત વયના માણસે રોજ બે ગોળી પંદર દિવસ સુધી લેવી જોઇએ. જી-૬-પી-ડી નામના ઉત્સેચકની ઊણપ ધરાવતાં લોકોને આ ગોળી ન આપવી જોઇએ.
કમળો
કમળો થાય એ પહેલાં ઘણા લોકોને તાવ આવે છે. ઝીણોતાવ, ભૂખ ન લાગવી, ઊબકા થવા, ઊલટી થવી, ખાવાનું બેસ્વાદ લાગવું, બીડી-સિગારેટ પીવાની ઇચ્છા ન થવી, પેટમાં જમણી બાજુ ઉપરના ભાગે દુ:ખવું આ બધાં કમળાનાં લક્ષણો છે. મહત્વની વાત એ છે કે કમળાને કારણે જેવાં આંખ અને પેશાબ પીળાં થવા લાગે એવો તાવ ઉતરવા લાગે છે.
કમળાની સારવાર :
કમળો હીપેટાઇટીસ નામના વાઇરસથી થાય છે. આ વાઇરસ સામે હજી સુધી કોઇ અસરકારક દવા શોધી શકાઇ નથી. એટલે કમળો મટાડવાની કોઇ દવા કે દોરા-ધાગા કરાવવાને બદલે ઘરે રહી સંપૂર્ણ આરામ કરવો વધુ જરૂરી છે. આરામ કરવાથી કમળો વધતો અટકે છે. ખોરાકમાં રહેલ ઘી-તેલને પચાવવા માટે લિવરના પાચકરસ જરૂરી હોય છે. કમળામાં આ પાચકરસ ઓછા બનતા હોવાથી ઘી-તેલ પચી શકતા નથી. જો વધુ ઘી-તેલ વાળો ખોરાક લેવામાં આવે તો ઝાડા થઇ શકે છે. એટલે કમળાવાળા દર્દીને ખોરાકમાં ઓછા ઘી-તેલવાળી વસ્તુઓ આપવી જોઇએ.
આ સિવાય બીજી કોઇ પરેજી પાળવાની જરૂર હોતી નથી. જો કમળો ખૂબ વધી જાય તો ત્યારે મગજ પર ગંભીર અસર થાય. એવે વખતે દૂધ તથા પ્રોટીનયુકત અન્ય પદાર્થો ખાવાની ડોકટર ના પાડે છે. પરંતુ આ તો ગંભીર દર્દીઓ માટે જ. સામાન્ય કમળાના દર્દીઓ માટે તૈલી પદાર્થ (ઘી - તેલ - માખણ - મલાઇ) છોડીને બાકીની બધી વસ્તુ ખાવાની છૂટ હોય છે.
એસિડિટી અને અલ્સર
જયારે જઠરમાં બનતા એસિડનું પ્રમાણ વધી જાય અથવા જઠર અને પકવાશયને એસિડની આડઅસરથી બચાવતા સંરક્ષણાત્મક શ્લેષ્મનું પ્રમાણ ઘટી જાય ત્યારે એસિડિટી અને અલ્સરની તકલીફ ઉદભવે છે.
વધારે પડતી ચિંતા-ટેન્શન, વધુ પડતો તીખો ખોરાક, દારૂ કે તમાકુનું સેવન તથા હેલીકોબેકટર પ્રકારના બેકટેરિયાનો ચેપ એસિડિટી અને અલ્સર કરવામાં ફાળો આપે છે.
એસિડિટી અને અલ્સરની સારવાર :
(૧) તીખી-તળેલી વસ્તુઓ ન ખાવી. મરચા વગરની રસોઇ ખાવી.
(૨) દારૂ કે તમાકુનું વ્યસન બિલકુલ બંધ કરવું.
(૩) વધુ પ્રમાણમાં અને ખૂબ સ્ટ્રોંગ ચા-કોફી લેવાનું ટાળવું.
(૪) એન્ટાસિડ ગોળી કે પ્રવાહી દિવસમાં ચારથી છ વખત લેવાં.
લૂ લાગવી
ગરમીથી ન ટેવાયેલા લોકોને ભારે ગરમી લાગે તો લૂ લાગી જાય. ગરમીને કારણે શરૂઆતમાં ખૂબ પરસેવો થાય, પછી તરસ લાગે, બેચેની થાય, હાથ-પગ-માથું કળે, ભૂખ મરી જાય, ગભરામણ-ઊલટી વગેરે થાય, ચકકર આવે અને અચાનક બેહોશી પણ આવે, જો શરૂઆતનાં આ લક્ષણોને ગણકારવામાં ન આવે તો કયારેક શરીરની તાપમાન-નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઇ જાય અને શરીરનું તાપમાન ખૂબ વધવા લાગે.
લૂ માટેની સારવાર :
(૧) દર્દીને છાંયડામાં રાખવો અથવા ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, ઉનાળા દરમ્યાન પંખો નાંખવાનું ચાલુ કરી દેવું.
(૨) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં.
(૩) પાણી વધુ પીવડાવવું.
(૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ.
(૫) શરીરનું તાપમાન ૧૦૬ં ફેરનહીંટ (૪૧ંસે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા.શરદી અને ફલ્યૂનો તાવશરદી-ખાંસી, ગળા-આંખમાં બળતરા, હાથ - પગ - કમ્મરનો દુ:ખાવો, તાવ વગેરે શરદીથી થતા તાવનાં લક્ષણો છે.
શરદી અને ફલ્યૂના તાવની સારવાર :
આ તાવ વાયરસથી ફેલાય છે. અને એની સામે કોઇ દવા અસરકારક નથી. આરામ, પુષ્કળ પ્રવાહી અને જરૂર પડયે દુ:ખાવા કે તાવ માટે પેરાસિટામોલ દવા આપવી જરૂરી હોય છે. નાક બંધ થઇ જાય તો ગરમ પાણીની વરાળનો બાફ લેવાથી ખૂલી જશે. નાના બાળકનું બંધ નાક હૂંફાળા મીઠાના પાણીનું ટીપું મૂકવાથી ખૂલી શકે (આવા પાણીની ખારાશ આંખના આંસુથી વધારે ન હોવી જોઇએ) શરદી અને ફલ્યૂ આપોઆપ અઠવાડિયામાં મટી જાય છે.
ભારે શરદી અને સાયનસનો પાક
તાવ, શરદીમાં નાક વાટે પીળું ઘટ્ટ પ્રવાહી નીકળે, માથું દુ:ખે (હલનચલનથી કે નીચા નમવાથી ખૂબ દુ:ખાવો થાય, સવારે વધુ દુ:ખે) આંખની ઉપરનો કે નીચેના નાક પાસેનો ભાગ દબાવવાથી દુ:ખતો જણાય.
ભારે શરદી અને સાયનસની સારવાર :
ગરમ પાણીનો બાફ લેવો. ડોકટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.
કાકડા પાકવા અને ગળાનો ચેપ
તાવ, ખાંસી અને ગળાનો દુ:ખાવો (ખાસ કરીને કોઇ વસ્તુ ગળતી વખતે) એ ગળા કે કાકડાના ચેપની નિશાની છે. આવા દર્દીનું મોં ખોલાવી, જીભ બહાર રાખી મોટેથી ''આ બોલવાનું કહી જીભની છેક પાછળના ભાગે બન્ને બાજુએ રહેલ કાકડા જોવા જોઇએ. કાકડા મોટાં થઇ ગયા હોય અને લાલચોળ હોય, અથવા એની પર સફેદ છારી બાઝી ગઇ હોય કે પરુ નીકળતું હોય તો નિદાન પાકું થાય છે.
કાકડા અને ગળાના ચેપ માટેની સારવાર :
શરૂઆતના તબકકામાં ગરમ પાણીમાં મીઠું નાંખીને દર્દીને આકાશ તરફ જોઇ કોગળા કરવાનું કહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.
ટાઇફોઇડ
શરૂઆતમાં ઘીમો તાવ (ઠંડી-ધ્રુજારી) આવે છે. તાવ સતત ચાલુ રહે છે અને ઘીમે ઘીમે રોજેરોજ વધ્યા કરે છે. તાવઆખા દિવસમાં કયારેય દવા વગર ઉતરતો નથી. તાવની સાથોસાથ પેટની ગરબડ, કબજિયાત કે ઝાડા, પેટનો દુ:ખાવો અને અશક્તિ જોવા મળે છે. જીભ પર સફેદ છારી બાજિ જાય છે. લોહીની તપાસ વગર ટાઇફોઇડનું નિદાન કરવું અઘરું છે.
ટાઇફોઇડની સારવાર :
ટાઇફોઇડનો ફેલાવો ખોરાક અને પાણી દ્વારા ફેલાતા બેકટેરિયાથી થાય છે. ડોકટરની સલાહથી એન્ટિબાયોટીક દવાનો સાતથી ચૌદ દિવસનો કોર્સ લેવો પડે છે. ટાઇફોઇડના દર્દીઓને ખાવા પીવામાં કોઇ વિશેષ પરેજી રાખવાની જરૂર નથી હોતી. વધુ પડતું તીખું અને વધુ તેલ-ઘીવાળું છોડીને બાકી બધો ખોરાક લઇ શકાય છે. ભાત કે ખીચડી રૂપે અનાજ લેવાથી કોઇ નુકસાન નથી થતું ઉલટું ફાયદો થાય છે. ટાઇફોઇડ અટકાવવા માટે પાણીજન્ય રોગો અટકાવવાનાં બધાં પગલાં લેવાં જરૂરી છે.
-KAUSHIK PANCHAL,SOFTWARE COMPUTER
અચાનક તાવ આવવાનું કારણ શરીરમાં ઘૂસી આવેલાં જંતુઓ સામેની લડાઇ હોય છે. તાવ શરીરને ઉપયોગી પ્રક્રિયા છે. તાવનું ચોકકસ કારણ જાણ્યા વગર માત્ર તાવને ઉતારી નાખવાથી કોઇ ખાસ ફાયદો થતો નથી એ યાદ રાખવું.
તાવનાં કારણો :
(૧) ઠંડી-ધ્રુજારી સાથે આવતા તાવ : મેલેરિયા, પેશાબનો ચેપ , ન્યુમોનિયા , ગૂમડાં કે પાક, મગજનો તાવ, કાકડા પાકવા, પ્રસૂતિ પછીનો ચેપ, મરડા સાથે તાવ
(૨) ઠંડી-ધ્રુજારી વગર આવતા તાવ: ટાઇફોઇડ, ટી.બી., કમળો, શરદી . (નોંધ: આ ઉપરાંત ધ્રુજારી સાથે આવતા બધા તાવ કયારેક ટાઢ-ઠંડી-ધ્રુજારી વગર પણ આવી શકે છે.)
તાવ વધી જાય ત્યારે શું કરવું ?
તાવ એ શરીર માટે રોગો સામે લડવા માટેનું ઉપયોગી શસ્ત્ર છે એટલે તાવનું કારણ જાણ્યા વગર તાવ ઉતારવાની કોશિશ સામાન્ય રીતે ન કરવી જોઇએ. પરંતુ જો તાવ ખૂબ વધી ગયો હોય તો કયારેક (નાનાં બાળકોમાં ખાસ) મગજ પર એની વિપરિત અસર થઇ શકે છે. એટલે તાવ ખૂબ ચડી ગયો હોય ત્યારે તાવ ઉતારવાનાં નીચે જણાવેલ પગલાં લેવાં જોઇએ :
(૧) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં.
(૨) પાણી વધુ પીવડાવવું.
(૩) દર્દીને ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, ઉનાળા દરમ્યાન પંખો નાંખવાનું ચાલુ કરી દેવું.
(૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ.
(૫) શરીરનું તાપમાન ૧૦૬ં ફેરનહીંટ (૪૧ંસે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા.
(૬) પેરાસિટામોલ નામની ગોળી યોગ્ય ડોઝમાં (પુખ્ત વયની વ્યક્તિ માટે ૫૦૦ મિ.ગ્રા; બાળક માટે દર કિલોગ્રામ વજનદીઠ ૧૦ મિ.ગ્રા.) લેવાથી તાવ અડધાથી એક કલાકમાં ઉતરવા લાગે છે. આ દવાની અસર ચાર થી છ કલાક સુધી જ રહે છે. તાવમાં તત્કાલ રાહત આપવા સિવાય તાવ મટાડવા માટે આ દવા ઉપયોગી નથી. તાવ મટાડવા એનું કારણ શોધી એ કારણ મુજબ દવા કરવી પડે છે.
મેલેરિયા
સામાન્ય રીતે અચાનક ઠંડી લાગવાની અને ધ્રુજારીની શરૂઆત થઇ જાય છે. ધ્રુજારીને કારણે ગરમી પેદા થાય અને સખત તાવ ચડી જાય. આ પછી ત્રણથી આઠ કલાકમાં તાવ સખત પરસેવો થઇને ઉતરી જાય.
ઘણા દર્દીમાં આ તાવ આંતરે દિવસે આવે. પરંતુ બીજા ઘણા લોકોમાં રોજેરોજ પણ આવે છે. કયારેક ઠંડી લાગ્યા વગર જ તાવ શરૂ થઇ જાય એવું બને.
તાવની સાથે સાથે માથું દુ:ખવું, શરીર તૂટવું, ઊલટીઓ થવી, નબળાઇ લાગવી વગેરે અનેક લક્ષણો હોઇ શકે.
જો ઝેરી મેલેરિયા હોય તો તાવ ઉપરાંત તાણ (આંચકી) આવવી, લવારા કરવા, બેભાન થઇ જવું વગેરે લક્ષણવાળા દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા જરૂરી હોય છે. સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ ઝેરી મેલેરિયાને કારણે થઇ શકે.
મેલેરિયાની સારવાર:
ડોકટર અથવા આરોગ્ય કાર્યકર દ્વારા મળેલ કલોરોકવીન (૧૫૦ મિ.ગ્રા. બેઝ) ગોળીનો ત્રણ દિવસનો પૂરો કોર્સ કરવાથી મેલેરિયા મટી જાય છે. ઝેરી મેલેરિયામાં બીજી દવાના ઇન્જેકશનો હોસ્પિટલમાં આપવાં પડે. આ સિવાય સાદા મેલેરિયામાં ઇન્જેકશન આપવાની કોઇ જરૂર હોતી નથી.
મેલેરિયાથી બચવા શું કરવું:
મેલેરિયાનાં જંતુઓ (પ્લાઝમોડીયમ) એનોફીલીસ પ્રકારના મચ્છરથી ફેલાય છે. આ મચ્છરનાં ઇંડાનો વિકાસ પ્રમાણમાં ચોખ્ખા પાણીમાં થાય છે. ઘરમાં કે ઘરની આસપાસ પાંચ દિવસથી વધુ સમય સુધી પાણીનો ભરાવો ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
મચ્છર કરડી ગયા પછી પણ મેલેરિયા ન થાય એ માટે:
સગર્ભાબહેનોને અને વારંવાર મેલેરિયાથી પીડાતા પુખ્તવયનાં દર્દીઓએ અઠવાડીયે બે ગોળી કલોરોકવીન (૧૫૦ મિ.ગ્રા. બેઝ) લેવી જોઇએ.
એકવાર મેલેરિયા થઇ ગયા પછી વારંવાર ઉથલો ન મારે એ માટે
આરોગ્ય કાર્યકર દ્વારા પ્રાઇમાકવીન (૭.૫ મિ.ગ્રા. બેઝ) ગોળી આપવામાં આવે છે, જે પુખ્ત વયના માણસે રોજ બે ગોળી પંદર દિવસ સુધી લેવી જોઇએ. જી-૬-પી-ડી નામના ઉત્સેચકની ઊણપ ધરાવતાં લોકોને આ ગોળી ન આપવી જોઇએ.
કમળો
કમળો થાય એ પહેલાં ઘણા લોકોને તાવ આવે છે. ઝીણોતાવ, ભૂખ ન લાગવી, ઊબકા થવા, ઊલટી થવી, ખાવાનું બેસ્વાદ લાગવું, બીડી-સિગારેટ પીવાની ઇચ્છા ન થવી, પેટમાં જમણી બાજુ ઉપરના ભાગે દુ:ખવું આ બધાં કમળાનાં લક્ષણો છે. મહત્વની વાત એ છે કે કમળાને કારણે જેવાં આંખ અને પેશાબ પીળાં થવા લાગે એવો તાવ ઉતરવા લાગે છે.
કમળાની સારવાર :
કમળો હીપેટાઇટીસ નામના વાઇરસથી થાય છે. આ વાઇરસ સામે હજી સુધી કોઇ અસરકારક દવા શોધી શકાઇ નથી. એટલે કમળો મટાડવાની કોઇ દવા કે દોરા-ધાગા કરાવવાને બદલે ઘરે રહી સંપૂર્ણ આરામ કરવો વધુ જરૂરી છે. આરામ કરવાથી કમળો વધતો અટકે છે. ખોરાકમાં રહેલ ઘી-તેલને પચાવવા માટે લિવરના પાચકરસ જરૂરી હોય છે. કમળામાં આ પાચકરસ ઓછા બનતા હોવાથી ઘી-તેલ પચી શકતા નથી. જો વધુ ઘી-તેલ વાળો ખોરાક લેવામાં આવે તો ઝાડા થઇ શકે છે. એટલે કમળાવાળા દર્દીને ખોરાકમાં ઓછા ઘી-તેલવાળી વસ્તુઓ આપવી જોઇએ.
આ સિવાય બીજી કોઇ પરેજી પાળવાની જરૂર હોતી નથી. જો કમળો ખૂબ વધી જાય તો ત્યારે મગજ પર ગંભીર અસર થાય. એવે વખતે દૂધ તથા પ્રોટીનયુકત અન્ય પદાર્થો ખાવાની ડોકટર ના પાડે છે. પરંતુ આ તો ગંભીર દર્દીઓ માટે જ. સામાન્ય કમળાના દર્દીઓ માટે તૈલી પદાર્થ (ઘી - તેલ - માખણ - મલાઇ) છોડીને બાકીની બધી વસ્તુ ખાવાની છૂટ હોય છે.
એસિડિટી અને અલ્સર
જયારે જઠરમાં બનતા એસિડનું પ્રમાણ વધી જાય અથવા જઠર અને પકવાશયને એસિડની આડઅસરથી બચાવતા સંરક્ષણાત્મક શ્લેષ્મનું પ્રમાણ ઘટી જાય ત્યારે એસિડિટી અને અલ્સરની તકલીફ ઉદભવે છે.
વધારે પડતી ચિંતા-ટેન્શન, વધુ પડતો તીખો ખોરાક, દારૂ કે તમાકુનું સેવન તથા હેલીકોબેકટર પ્રકારના બેકટેરિયાનો ચેપ એસિડિટી અને અલ્સર કરવામાં ફાળો આપે છે.
એસિડિટી અને અલ્સરની સારવાર :
(૧) તીખી-તળેલી વસ્તુઓ ન ખાવી. મરચા વગરની રસોઇ ખાવી.
(૨) દારૂ કે તમાકુનું વ્યસન બિલકુલ બંધ કરવું.
(૩) વધુ પ્રમાણમાં અને ખૂબ સ્ટ્રોંગ ચા-કોફી લેવાનું ટાળવું.
(૪) એન્ટાસિડ ગોળી કે પ્રવાહી દિવસમાં ચારથી છ વખત લેવાં.
લૂ લાગવી
ગરમીથી ન ટેવાયેલા લોકોને ભારે ગરમી લાગે તો લૂ લાગી જાય. ગરમીને કારણે શરૂઆતમાં ખૂબ પરસેવો થાય, પછી તરસ લાગે, બેચેની થાય, હાથ-પગ-માથું કળે, ભૂખ મરી જાય, ગભરામણ-ઊલટી વગેરે થાય, ચકકર આવે અને અચાનક બેહોશી પણ આવે, જો શરૂઆતનાં આ લક્ષણોને ગણકારવામાં ન આવે તો કયારેક શરીરની તાપમાન-નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઇ જાય અને શરીરનું તાપમાન ખૂબ વધવા લાગે.
લૂ માટેની સારવાર :
(૧) દર્દીને છાંયડામાં રાખવો અથવા ખુલ્લા હવા-ઉજાસવાળા ઠંડા ઓરડામાં રાખવો, ઉનાળા દરમ્યાન પંખો નાંખવાનું ચાલુ કરી દેવું.
(૨) શરીર પર કશું ઓઢાડવુું નહીં. શકય એટલાં ઓછાં કપડાં દર્દીને પહેરાવવાં.
(૩) પાણી વધુ પીવડાવવું.
(૪) માટલાના ઠંડા પાણીનાં પોતાં આખા શરીરે મૂકવાં. માત્ર કપાળ પર પોતા મૂકવાથી કોઇ ફાયદો થતો નથી. કપાળ ઉપરાંત છાતી - પેટ - હાથ - પગ બધે જ પોતાં મૂકવાં જોઇએ.
(૫) શરીરનું તાપમાન ૧૦૬ં ફેરનહીંટ (૪૧ંસે.) કરતાં વધુ હોય તો એ ઇમરજન્સી ગણાય અને ત્યારે જો બરફ મળે તો શરીરના બધા ભાગો પર બરફ ઘસીને તાપમાન નીચું લાવવા પ્રયત્નો કરવા.શરદી અને ફલ્યૂનો તાવશરદી-ખાંસી, ગળા-આંખમાં બળતરા, હાથ - પગ - કમ્મરનો દુ:ખાવો, તાવ વગેરે શરદીથી થતા તાવનાં લક્ષણો છે.
શરદી અને ફલ્યૂના તાવની સારવાર :
આ તાવ વાયરસથી ફેલાય છે. અને એની સામે કોઇ દવા અસરકારક નથી. આરામ, પુષ્કળ પ્રવાહી અને જરૂર પડયે દુ:ખાવા કે તાવ માટે પેરાસિટામોલ દવા આપવી જરૂરી હોય છે. નાક બંધ થઇ જાય તો ગરમ પાણીની વરાળનો બાફ લેવાથી ખૂલી જશે. નાના બાળકનું બંધ નાક હૂંફાળા મીઠાના પાણીનું ટીપું મૂકવાથી ખૂલી શકે (આવા પાણીની ખારાશ આંખના આંસુથી વધારે ન હોવી જોઇએ) શરદી અને ફલ્યૂ આપોઆપ અઠવાડિયામાં મટી જાય છે.
ભારે શરદી અને સાયનસનો પાક
તાવ, શરદીમાં નાક વાટે પીળું ઘટ્ટ પ્રવાહી નીકળે, માથું દુ:ખે (હલનચલનથી કે નીચા નમવાથી ખૂબ દુ:ખાવો થાય, સવારે વધુ દુ:ખે) આંખની ઉપરનો કે નીચેના નાક પાસેનો ભાગ દબાવવાથી દુ:ખતો જણાય.
ભારે શરદી અને સાયનસની સારવાર :
ગરમ પાણીનો બાફ લેવો. ડોકટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.
કાકડા પાકવા અને ગળાનો ચેપ
તાવ, ખાંસી અને ગળાનો દુ:ખાવો (ખાસ કરીને કોઇ વસ્તુ ગળતી વખતે) એ ગળા કે કાકડાના ચેપની નિશાની છે. આવા દર્દીનું મોં ખોલાવી, જીભ બહાર રાખી મોટેથી ''આ બોલવાનું કહી જીભની છેક પાછળના ભાગે બન્ને બાજુએ રહેલ કાકડા જોવા જોઇએ. કાકડા મોટાં થઇ ગયા હોય અને લાલચોળ હોય, અથવા એની પર સફેદ છારી બાઝી ગઇ હોય કે પરુ નીકળતું હોય તો નિદાન પાકું થાય છે.
કાકડા અને ગળાના ચેપ માટેની સારવાર :
શરૂઆતના તબકકામાં ગરમ પાણીમાં મીઠું નાંખીને દર્દીને આકાશ તરફ જોઇ કોગળા કરવાનું કહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.
ટાઇફોઇડ
શરૂઆતમાં ઘીમો તાવ (ઠંડી-ધ્રુજારી) આવે છે. તાવ સતત ચાલુ રહે છે અને ઘીમે ઘીમે રોજેરોજ વધ્યા કરે છે. તાવઆખા દિવસમાં કયારેય દવા વગર ઉતરતો નથી. તાવની સાથોસાથ પેટની ગરબડ, કબજિયાત કે ઝાડા, પેટનો દુ:ખાવો અને અશક્તિ જોવા મળે છે. જીભ પર સફેદ છારી બાજિ જાય છે. લોહીની તપાસ વગર ટાઇફોઇડનું નિદાન કરવું અઘરું છે.
ટાઇફોઇડની સારવાર :
ટાઇફોઇડનો ફેલાવો ખોરાક અને પાણી દ્વારા ફેલાતા બેકટેરિયાથી થાય છે. ડોકટરની સલાહથી એન્ટિબાયોટીક દવાનો સાતથી ચૌદ દિવસનો કોર્સ લેવો પડે છે. ટાઇફોઇડના દર્દીઓને ખાવા પીવામાં કોઇ વિશેષ પરેજી રાખવાની જરૂર નથી હોતી. વધુ પડતું તીખું અને વધુ તેલ-ઘીવાળું છોડીને બાકી બધો ખોરાક લઇ શકાય છે. ભાત કે ખીચડી રૂપે અનાજ લેવાથી કોઇ નુકસાન નથી થતું ઉલટું ફાયદો થાય છે. ટાઇફોઇડ અટકાવવા માટે પાણીજન્ય રોગો અટકાવવાનાં બધાં પગલાં લેવાં જરૂરી છે.
-KAUSHIK PANCHAL,SOFTWARE COMPUTER